બાળકોની મનોવૈજ્ઞાનીક ખાસિયત
બાળકોની મનોવૈજ્ઞાનીક ખાસિયત
પ્રીતેશકુમાર રમેશભાઈ ટેલર
માનવજીવનના વિવિધ તબક્કાઓ પૈકી બાલ્ય અવસ્થા પોતાનું અનોખું મહત્વ ધરાવે છે. બાળપણમાં અપાયેલી કેટલીક સુટેવો - કુટેવો જીવનભર જોવા મળે છે. કેટલીકવાર યોગ્ય માર્ગદર્શનના અભાવના કારણે બાળકોમાં કેટલીક વર્તનની સમસ્યાઓ જોવા મળે છે. આથી પ્રાથમિક શાળાના શિક્ષકો અને વાલીઓ માટે બાળકની ખાસિયતો જાણવી ખૂબ જ અગત્યની બની રહે છે. જેથી કરીને પ્રાથમિક શાળામાં દાખલ થયેલા બાળકોને ઓળખવા તેમજ તેમને સમજવામાં સરળતા રહે છે. બાળકોમાં આવા લક્ષણો નીચે મુજબ જોવા મળે છે.
- બાળકો સતત ક્રિયાશીલ અને પ્રવિત્તિશીલ રહે છે.
- બાળકોની જિજ્ઞાસાવૃત્તિ અતિ તેજ હોય છે.
- બાળકો દોડવું, રમવું, કુદવું અને ખાવું ગમે છે.
- બાળકો વારંવાર નાની લગતી બાબતો પર પ્રશ્ર્ન પૂછે છે.
- શાળામાં વર્ગની બહાર કંઈક થાય તો દોડી જાય છે.
- બેન્ડબાજા કે ફટાકડાનો અવાજ આવે ત્યાં પહોંચી જવાની ઈચ્છા પ્રગટ કરે છે.
- એક જગ્યાએ લાંબો સમય બેસી શકતા નથી.
- બાળકોને રસભર વાર્તા સાંભળવી ગમે છે.
Comments
Post a Comment